આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ ખાસ સત્રમાં સત્રમાં પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉભા થયા અને પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ રજૂ કરાયેલા ઠરાવના સમર્થનમાં બોલ્યા. આ દરમિયાન તેમણે હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોના નામ પણ લીધા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “મને વિશ્વાસ નથી આવતો કે થોડા દિવસો પહેલા જ આપણે આ ગૃહમાં હાજર હતા, બજેટ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી હતી. કોણે વિચાર્યું હશે કે જમ્મુ અને કાશ્મીરમાં એવી પરિસ્થિતિ ઊભી થશે કે આપણે આ વાતાવરણમાં ફરીથી અહીં મળવું પડશે. પહેલગામ હુમલા પછી જ્યારે મંત્રીઓની બેઠક યોજાઈ હતી, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે રાજ્યપાલને એક દિવસનું સત્ર બોલાવવા વિનંતી કરીશું.”
ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં ભાવુક થઈ ગયા અને કહ્યું કે આ હુમલાએ આપણને અંદરથી ખોખલા કરી દીધા છે. તે નેવી ઓફિસરની વિધવાને, તે નાના બાળકને, જેણે પોતાના પિતાને લોહીથી લથપથ જોયા હતા, હું શું જવાબ આપું?
સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરમાં થયેલા હુમલા પછી, 26 વર્ષમાં પહેલી વાર, મેં લોકોને આ રીતે બહાર આવતા જોયા. લોકો કઠુઆથી શ્રીનગર સુધી બહાર આવ્યા અને ખુલ્લેઆમ કહ્યું કે કાશ્મીરીઓ આ હુમલાઓ ઇચ્છતા નથી. મારા નામે નહીં… દરેક કાશ્મીરી આ કહી રહ્યો છે.”
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “પહલગામના 26 લોકોનું દર્દ આ દેશની સંસદ કે અન્ય કોઈ વિધાનસભા એટલી સારી રીતે સમજી શકતી નથી જેટલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા સમજી શકે છે. તમારી સામે બેઠેલા લોકોએ પોતાના નજીકના સંબંધીઓ ગુમાવ્યા છે. કેટલાકે પોતાના પિતા ગુમાવ્યા છે, તો કેટલાકે પોતાના કાકા ગુમાવ્યા છે. આપણામાંથી કેટલા એવા છે જેમના પર હુમલો થયો છે? આપણા ઘણા સાથીદારો એવા છે જેમના પર એટલી બધી વાર હુમલો થયો છે કે આપણે તેમને ગણતા ગણતા થાકી જઈશું. ઓક્ટોબર 2001માં શ્રીનગર હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલા માટે આ વિધાનસભા કરતાં વધારે પહેલગામમાં માર્યા ગયેલા લોકોનું દર્દ કોઈ સમજી શકે નહીં.”
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ભૂતકાળમાં આપણે કાશ્મીરી પંડિતો અને શીખ સમુદાયો પર આતંકવાદી હુમલા જોયા છે. આવો હુમલો ઘણા સમય પછી થયો છે. મારી પાસે પીડિતોના પરિવારના સભ્યોની માફી માંગવા માટે કોઈ શબ્દો નથી. હું કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળતો નથી, પરંતુ મેં પ્રવાસીઓને કાશ્મીરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તેમના યજમાન તરીકે, તેમની સંભાળ રાખવાની અને તેમનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે. પ્રવાસીઓની માફી માંગવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.”
તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા જ લગ્ન કરનારા નૌકાદળના અધિકારીની વિધવાને હું શું કહું? તેમને સાંત્વના આપવા માટે મારી પાસે શબ્દો નથી. પીડિતોના પરિવારના ઘણા સભ્યોએ મને પૂછ્યું કે તેમનો ગુનો શું છે? મારી પાસે કોઈ જવાબ નહોતો.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકો પોતે વિરોધ કરવા માટે બહાર આવ્યા, બેનરો/પોસ્ટરો પ્રદર્શિત કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. જો લોકો આપણી સાથે હોય, તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. આ તો શરૂઆત છે. આપણે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે લોકોને અલગ પાડે. લોકો સમજી ગયા છે કે આતંકવાદ સારો નથી. આપણે બંદૂકોની શક્તિથી આતંકવાદને નિયંત્રિત કરી શકીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું, “જો લોકો આપણી સાથે હોય, તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. મને લાગે છે કે હવે લોકો આપણી સાથે છે. પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાશ્મીરની મસ્જિદોમાં મૌન પાળવામાં આવ્યું. આ ખૂબ મોટી અને મહત્વપૂર્ણ બાબત છે.”
સીએમ ઓમરે કહ્યું કે આદિલે પોતાના જીવની પરવા કર્યા વિના ઘણા પ્રવાસીઓને બચાવ્યા, તેણે પોતાનો જીવ બલિદાન આપ્યો. ભાગવાને બદલે, તેણે તેમને બચાવવાનું નક્કી કર્યું. ઘણા લોકોએ પ્રવાસીઓને બચાવ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘણા ફૂડ સ્ટોલ માલિકોએ પ્રવાસીઓને મફતમાં ભોજન પીરસ્યું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0