આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.
શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે આગકાંડ સર્જાયો હતો. જેમા હસતાં રમતાં લોકો હોમાઇ ગયા છે. આ આગકાંડમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડની અટકાયત કરી છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ. મૃતદેહો એ હદે બળી ગયા કે ડીએનએ દ્વારા ઓળખ કરવી પડી. ઘટનાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં હાહાકાર મચાવી દીધો. હવે આ ઘટનાના આઠ દિવસે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું નિવેદન આવ્યું છે.
રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું છે. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. નોકરીનો પ્રથમ દિવસ હતો અને આગ લાગતા તેઓનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં નેપાળી પરિવારની બે બાળકીઓના કરૂણ મોત નીપજ્યા છે. આ બે બાળકીઓના બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.
નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાનો આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે
આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનદારો પાસે જઇને બંધ પાડવાની અપીલ કરી રહ્યા છે. આ સાથએ પીડિત પરિવારો પણ બંધમાં જોડાવવાની અપીલ કરી રહ્યા છે.
TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ ચાલી રહી છે. જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. આ સાથે એક કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું છે.
સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે
રાજકોટમાં એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવા પામી છે. તેમજ ટીમને મોટા પ્રમાણમાં દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025