નાનામવા વિસ્તારમાં ગેરકાયદેસર રીત બનાવાયેલ ટીઆરપી ગેમઝોનમાં ભભુકેલી આગમાં 27 લોકો જીવતા ભુંજાઇ ગયા હતા. આ અતિ કરૂણ ઘટનાનો આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે