દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ગઈ કાલે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ગઈ કાલે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
દિગ્ગજ અભિનેતા રજનીકાંતને ગઈ કાલે મોડી રાત્રે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 73 વર્ષીય રજનીકાંતને આજે વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. સાઉથના દિગ્ગજ સ્ટારની તબિયતના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે. રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર છે.'
દરમિયાન, ચેન્નાઈ પોલીસે જણાવ્યું હતું કે રજનીકાંતને ચેન્નાઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.રજનીકાંતને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રજનીકાંત સિનિયર એક્ટર છે. ભારત સરકારે તેમને 2000માં પદ્મ ભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતા માટે શેવેલિયર શિવાજી ગણેશન પુરસ્કાર મળ્યો છે. 45મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા 2014માં, તેમને ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર માટે શતાબ્દી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ની 50મી આવૃત્તિમાં તેમને આઈકોન ઓફ ગ્લોબલ જ્યુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમિલ સિનેમાના ઈતિહાસમાં એમજી રામચંદ્રન પછી તે બીજા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તેમને 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0