દેશમાં નેઋત્યના ચોમાસાએ સમય પહેલાં પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું. હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે.
દેશમાં નેઋત્યના ચોમાસાએ સમય પહેલાં પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું. હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે.
દેશમાં નેઋત્યના ચોમાસાએ સમય પહેલાં પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હતું. હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ કર્યો છે. મિઝોરમ, અસમ, મણિપુરથી લઈને ત્રિપુરા અને અરૂણાચલ પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે 25 લોકોનાં મોત નીપજ્યાં છે.
https://x.com/DrLamtinthangHk/status/1928720128377536914
પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે અને ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડયા છે, જેના પગલે 12000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે.
અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખળનના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના અનેક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. એનએચ 13 પર અચાનક ભૂસ્ખલનના કારણે એક વાહન તણાઈ ગયું હતું, જેથી તેમાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતા. સરકારે લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે. ત્રિપુરામાં પણ મૂશળધાર વરસાદ અને આંધીના કારણે અનેક ઘરોને નુકસાન થયું હતું. આસામની રાજધાની ગુવાહાટીમાં ભૂસ્ખલનને કારણે અનેક ઘર લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકો મૃત્યુ પામી ગયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો પણ સામેલ છે. આ સિવાય ગોલાઘાટ જિલ્લામાં બે અને લખીમપુરમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0