IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી હતી. પરંતુ આ મેચ પછી, બંને ટીમોના કેપ્ટનો સામે કાર્યવાહી કરવામાં આવી છે
IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી હતી. પરંતુ આ મેચ પછી, બંને ટીમોના કેપ્ટનો સામે કાર્યવાહી કરવામાં આવી છે
IPL 2025 ના ક્વોલિફાયર 2 મેચમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે શાનદાર ટક્કર જોવા મળી હતી. પરંતુ આ મેચ પછી, બંને ટીમોના કેપ્ટનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર અને મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે, જેના કારણે તેમને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં, પંજાબે મુંબઈને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
ઐયર-પંડ્યા સામે BCCI ની મોટી કાર્યવાહી
શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા સામે સ્લો ઓવર રેટના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. IPLના નિયમો અનુસાર, ટીમોએ નિર્ધારિત સમયમાં તેમની ઓવર પૂર્ણ કરવી પડે છે, અને આમ ન કરવા બદલ સજાની જોગવાઈ છે. પંજાબ કિંગ્સ માટે આ સીઝનનો બીજો ઓવર રેટ ઉલ્લંઘન હતો, જેના કારણે શ્રેયસ ઐયર પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે, પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવનના તમામ સભ્યો, જેમાં ઇમ્પેક્ટ પ્લેયરનો પણ સમાવેશ થાય છે, તેમને 6 લાખ રૂપિયા (અથવા તેમની મેચ ફીના 25%, જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝનમાં ત્રીજી ઓવર રેટ ઉલ્લંઘન હતું. અગાઉ, ગુજરાત ટાઇટન્સ સામેની બંને મેચમાં ધીમા ઓવર રેટ માટે મુંબઈને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાને પણ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પંડ્યાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયર સહિત બાકીના પ્લેઈંગ ઈલેવન સભ્યોને વ્યક્તિગત રીતે 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા, જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
પંજાબે 204 રનના લક્ષ્યનો પીછો કર્યો
આ રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને 203/6 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ 44-44 રનની શાનદાર ઇનિંગ્સ રમી, પરંતુ પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે 41 બોલમાં અણનમ 87 રનની તોફાની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને વિજય તરફ દોરી. પંજાબે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું, અને આ જીત સાથે તેઓ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચ્યા. હવે તેઓ 3 જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફાઇનલ રમશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0