BCCIએ આ બે શ્રેણી માટે અલગ-અલગ કેપ્ટન  પસંદ કર્યા છે. T20 ટીમની  કમાન સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે, જ્યારે ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા હશે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને આ પ્રવાસ પર રમાનારી ODI શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેનું તાજેતરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે છતાં તે ODI ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે.