મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનમાં 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે.
મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનમાં 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે.
મણિપુરમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલનમાં 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીઓના પાણીના પ્રવાહ અને બંધ તૂટી જવાને કારણે રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમણે કહ્યું કે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલ શહેરના અનેક ડૂબેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યારે સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા ઇમ્ફાલ પૂર્વમાં ડૂબેલા વિસ્તારોમાંથી લોકોને બચાવ્યા હતા.
રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભલ્લાએ મુખ્ય સચિવ પીકે સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઇમ્ફાલમાં કાંગલા નોંગપોક થોંગ, લૈરીકિએંગબામ લીકાઈ અને સિંગજામેઈ બ્રિજની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. રાજ્યમાં પૂર અને ભૂસ્ખલન પછી છેલ્લા 48 કલાકમાં ઓછામાં ઓછા 3,802 લોકો પ્રભાવિત થયા છે અને 883 ઘરોને નુકસાન થયું છે.
ભૂસ્ખલનની 12 ઘટનાઓ
એક અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર સાંજ સુધીમાં કુલ ૩,૨૭૫ વિસ્તારો અથવા ગામડાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા હતા, જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને ૬૪ પ્રાણીઓના મૃત્યુ થયા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યભરમાં અત્યાર સુધીમાં ભૂસ્ખલનની કુલ ૧૨ ઘટનાઓ બની છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ચેકોન વિસ્તારમાં ઇમ્ફાલ નદી ઓવરફ્લો થયા પછી, ઓલ ઇન્ડિયા રેડિયોના ઇમ્ફાલ કેમ્પસ અને જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પરિસર સહિત ઘણી ઓફિસો અને સંસ્થાઓના પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0