ભારતના સ્ટાર બેટ્સમેનોએ શ્રીલંકાના સ્પિનર જ્યોફ્રી વેન્ડરસે સમક્ષ આત્મસમર્પણ કર્યું. ટીમ ઈન્ડિયા બીજી વનડે 32 રને હારી ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ભારતને 241 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં માત્ર 208 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતના સ્ટાર બેટ્સમેનોએ શ્રીલંકાના સ્પિનર જ્યોફ્રી વેન્ડરસે સમક્ષ આત્મસમર્પણ કર્યું. ટીમ ઈન્ડિયા બીજી વનડે 32 રને હારી ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં ભારતને 241 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઈન્ડિયા 42.2 ઓવરમાં માત્ર 208 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. પ્રથમ વનડે ટાઈ રહી હતી. યજમાન ટીમે 3 મેચની સીરીઝ માં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જો ભારતીય ટીમ 7 ઓગસ્ટે રમાનારી ત્રીજી વનડે જીતી જાય તો પણ તે સીરીઝ જીતી શકશે નહીં. ભારતીય ટીમ 18 વર્ષમાં પ્રથમ વખત શ્રીલંકાથી વનડે શ્રેણી જીત્યા વિના પરત ફરશે. છેલ્લી વખત બંને ટીમો વચ્ચે 2006માં વનડે સીરીઝ ડ્રો રહી હતી. આ પછી ભારત 2008થી શ્રીલંકામાં સતત વનડે સીરીઝ જીતી રહ્યું છે.
ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. આ પછી અડધી ટીમ 133ના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. રોહિતે 44 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી જ્યારે ગિલે 44 બોલમાં 35 રન બનાવ્યા હતા. શિવમ દુબે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે વિરાટ કોહલીએ 14 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યર 7 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કેએલ રાહુલ શૂન્ય પર આઉટ થયો હતો. અક્ષર પટેલે 44 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ 4 રન બનાવીને આઉટ થયો હતો. તે અસલંકાના 4 રન પર LBW આઉટ થયો હતો. અર્શદીપ સિંહ 3 રન બનાવીને રનઆઉટ થયો હતો. શ્રીલંકા માટે ભારતના સ્પિનર જ્યોફ્રી વાંડરસયે પ્રથમ 6 વિકેટ લીધી હતી. ભારતના દિગ્ગજ ખેલાડીઓ આસાનીથી વાન્ડરસેની સ્પિનની જાળમાં ફસાઈ ગયા. શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ 3 વિકેટ ઝડપી હતી.
Comments 0