ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું, ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી આપી
ભાજપનું કાર્યાલય ખુલ્લુ મુકાયું, ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલી આપી
વેરાવળ શહેર ભાજપનું કાર્યાલય ખુલ્લુ મૂકવામાં આવ્યું છે સાથે જ "સંવિધાન ગૌરવ અભિયાન" અંતર્ગત ટાવર ચોક ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલી કરેલ ત્યારબાદ મોટર સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પ્રસાર થઇ ૮૦ ફૂટ રોડ પર આવેલ શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન કરી હતી.
કાર્યાલય ખાતે "પ્રબુદ્ધ નાગરિક સંમેલન" ને કેશોદના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના પ્રવકતા વંદનાબેન મકવાણાએ સંબોધન કર્યું હતું. આ તકે ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, જિલ્લા ઉપપ્રમુખ મંજુબેન સુયાણી, જિલ્લા મંત્રી રમેશભાઈ કેશવાલા, જિલ્લા મંત્રી પ્રવીણભાઈ આમહેડા, તાલુકા પ્રમુખ પ્રદ્યુમ્નભાઈ ડોડીયા, પૂર્વ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા તેમજ જ્ઞાતિના આગેવાનો, વડીલો, યુવાનો અને બધા મોરચાના હોદેદારો અને કાર્યકર્તાઓ બ્હોળી સંખ્યામાં હાજર રહ્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ મેસવાણીયાની યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0