કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે
કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે
કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. પથ્થરમારામાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. આગચંપીનો બનાવ પણ બન્યો છે. અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી છે. હિન્દુ પક્ષનો આરોપ છે કે મુસ્લિમ યુવક તલવાર લઈને આવ્યો હતો અને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. તલવારો જપ્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં સ્થિતિ તંગ છે.
આ ઘટના નાગમંગલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બદરીકોપ્પલમાં ગણેશ મૂર્તિને ભવ્ય રીતે બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન મૈસૂર રોડ પર દરગાહ પાસે પથ્થરમારો થયો હતો. મુસ્લિમ યુવકોએ આનો આરોપ લગાવ્યો છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે ગણપતિ વિસર્જન માટે સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનની સામે પ્રતિમાને રોકીને વિરોધ કર્યો હતો. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. ગયા વર્ષે પણ આ દરગાહ સામે હંગામો થયો હતો. આ રમખાણમાં દરગાહનો આગળનો ભાગ તોડી પાડવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
મંડ્યાની સાથે તુમકુર જિલ્લાના મધુગિરીમાં મેકબંદે પાસે ફટાકડા ફોડવાને લઈને હંગામો થયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ એક યુવતી પર હુમલો કર્યો હતો. ઘટનાનું કારણ જૂની અદાવત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પેટમાં છરો વાગતાં યુવતી ગંભીર રીતે ઘાયલ છે. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ચેર. મધુગીરી પોલીસે આ સંદર્ભે એફઆઈઆર નોંધી છે અને મામલાની તપાસ કરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0