ભારે વરસાદના કારણે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે આઠ બાળકો દટાયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભારે વરસાદના કારણે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે આઠ બાળકો દટાયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ભારે વરસાદના કારણે એક નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. તેની નીચે આઠ બાળકો દટાયા હતા. જેમાં ત્રણ બાળકોના મોત થયા હતા. બાકીના બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી અનુસાર ગ્રેટર નોઈડામાં એક નિર્માણાધીન ઈમારતની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થયા બાદ તમામને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ ત્રણ બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાકીના બાળકોને બચાવી લેવાયા હતા. બાકીના બાળકો હજુ સારવાર હેઠળ છે. ઘરની દીવાલ ધરાશાયી થતાં તેના જ પરિવારના આઠ બાળકો અને સગાસંબંધીઓ તેની નીચે દટાયા હતા.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખોડના ગામમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનામાં આયેશા (16), અહદ (4), હુસૈન (5), આદિલ (8), અલ્ફિઝા (2), સોહના (12), વસીલ (11) અને સમીર (15) દટાયા હતા.જેમાંથી અહદ, આદિલ અને અલફીદાનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0