રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત મહાજન સ્થિત જેતપુર ટોલ પાસે થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ 6 લોકો રાજસ્થાનના ડબવાલી, હનુમાનગઢના રહેવાસી હોવાનું કહેવાય છે.
રાજસ્થાનના બિકાનેરમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોના મોત થયા હતા. આ અકસ્માત મહાજન સ્થિત જેતપુર ટોલ પાસે થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ 6 લોકો રાજસ્થાનના ડબવાલી, હનુમાનગઢના રહેવાસી હોવાનું કહેવાય છે. આ તમામ લોકો હરિયાણાના બિકાનેર તરફ જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે આગળના ભાગેથી કારનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાસ્થળે પોલીસે લોકોની મદદથી કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
તે જ સમયે, લોકોએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત સમયે કારમાં બેઠેલા બે લોકો કૂદીને રોડ પર પડ્યા હતા. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સ્પીડ ખૂબ જ વધારે હતી અને રાત્રીનો સમય હોવાને કારણે ડ્રાઈવર ટ્રકને આગળ જતા જોઈ શક્યો ન હતો, તેથી આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારની અંદરના લોકોને ક્રેઈન દ્વારા બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક બાળકી સિવાય તમામના મોત નીપજ્યા હતા. જેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાં પહોંચતા જ તેનું મોત થયું હતું.
Comments 0