રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.
રિઝર્વ બેંકની 5 જૂને શરૂ થયેલી એમપીસી મીટિંગનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ તરફથી જાણકારી આપી હતી. જોકે લોકો આશા હતી કે કેન્દ્રીય બેંક રેપો રેટના દરમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 6.50 પર યથાવત છે.
રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.
કેન્દ્રીય બેંક દ્વારા દર વર્ષે 6 વખત મોનેટરી પોલિસી બેઠકો યોજવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આ બીજી MPC બેઠક છે. આ બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને રેપો રેટની સમીક્ષા કરવામાં આવે છે. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા RBI માંગ, પુરવઠો, ફુગાવો અને ક્રેડિટ જેવા ઘણા પરિબળોને ધ્યાનમાં રાખે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો અથવા વધારો બેંકો દ્વારા આપવામાં આવતી લોનના વ્યાજ દરને અસર કરે છે. રેપો રેટમાં વધારા બાદ બેંકો દ્વારા હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે બેંકના વ્યાજ દરમાં વધારો કરીએ છીએ. પરંતુ જો RBI રેપો રેટમાં ઘટાડો કરે છે તો લોનના વ્યાજ દરમાં ઘટાડો થાય છે.
Comments 0