શિવસેનાએ કલેકટરને આવેદન આપી કરી રજૂઆત
શિવસેનાએ કલેકટરને આવેદન આપી કરી રજૂઆત
કોડીનાર તાલુકાના મુળ દ્વારકાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે શિવસેના દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું અને વહેલીતકે કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આવેલ મૂળ દ્વારકાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવે તો અનેક લોકો અહીંની સંસ્કૃતિ અને પ્રકૃતિથી વાકેફ થાય ત્યારે આ સ્થળને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ સાથે ગીર સોમનાથ જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારેકા ગામ ખાતે આવેલ અને મૂળ દ્વારકાના દરિયા ખાતે ટેકરી પર આવેલ પૌરાણિક મંદિર તેમજ દરિયા કિનારે મીઠા પાણીનો કૂવો અને અન્ય ગુફા આવેલી હોય ત્યારે લોકો અહીંયા દર્શન અને હરવા ફરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ જો આ સ્થળને વિકસાવવામાં આવે તો વધુ લોકો અહીંની મુલાકાત લઇ દર્શનનો લાભ લઇ શકે છે. ત્યારે આ સ્થળને પ્રવાસન તરીકે વિકસાવવા ગીર સોમનાથ જિલ્લા શિવ સેના ના પ્રમુખ રાજુભાઈ બામણીયા અને ગીર સોમનાથ જિલ્લા શિવસેના દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0