પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદી તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.