એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.
એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.
એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે. મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે.. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અનેક મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.
જ્યારે, અમુક મૃતકના DNA મેચ કરવાના બાકી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગુરૂવારથી કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
PM મોદીની બેઠક બાદ પીડિતોના પરિજનો માટે સરકારનો મોટો નિર્ણય
સિવિલ હોસ્પિટલના કસોટી ભવન DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઇ આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાના D.N.A. સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે. મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કસોટી ભવનમાં મૃતકોના નજીકના સગા–સંબંધીઓ માટે DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરાઈ છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને માતા પિતા કે સંતાનોના ડીએનએ સેમ્પલ લેવાતા હોય છે. જો કે, DNA મેચ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે અને આ રિપોર્ટ આવતા ત્રણ દિવસનો સમય લાગશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0