કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફી સહિતના મહાન ગાયકોની યાદો સાથે રાષ્ટ્રીય પર્વ શાનથી ઉજવાયું
કિશોર કુમાર, લતાજી, આશાજી, મુકેશ, મહમદ રફી સહિતના મહાન ગાયકોની યાદો સાથે રાષ્ટ્રીય પર્વ શાનથી ઉજવાયું
એકતા ગ્રુપ સાવરકુંડલા દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 'શહીદો કે નામ સદાબહાર' થીમ પર આધારિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની શાનદાર રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલીના જાણીતા કલાકારો જેવા કે, બીનાબેન શુક્લા, આરીફભાઈ ફુલવાળા, સાવરકુંડલાના લોકપ્રિય અને જાણીતા કલાકારો જાન મહંમદ ભાઈ જાખરા, મહેબૂબભાઈ કાજી, વારીશ ચૌહાણ, તુષારરાય કુંડલીયા, પિયુષભાઈ દવે, દ્વારા દેશભક્તિના ઉત્સાહ અને ઉમંગ સાથે ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં કલાકારોએ પોતાના સુમધુર અવાજના કંઠથી દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા. તેમજ આ કાર્યક્રમ દરમ્યાન દર્શકોએ પણ જય હિન્દ અને વંદે માતરમના નારા લગાવીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0