દિલ્હીથી મુંબઈ જઈ રહેલી આકાસા એર ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ઉડતા ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો જે બાદ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો જે બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા જ સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે અને સમગ્ર એરપોર્ટ પર ચેકીંગ હાથ ધરાયું છે.
મુંબઈથી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખળભળાટ મચી ગયો હતો. તરત જ, એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.
વડોદરામાં નોરતાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇમેઇલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી મળતાં જ તપાસ એજન્સીઓ એલર્ટ બની છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટનું દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બોમ્બની ધમકી મળ્યા બાદ આ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
મુંબઈ પોલીસે છેલ્લા 48 કલાકમાં 10 વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવાની શંકાના આધારે છત્તીસગઢના એક સગીર છોકરાની અટકાયત કરી છે.
છેલ્લા 4 દિવસથી ભારતીય વિમાનોને બોમ્બની ધમકીઓ મળી રહી છે. આજે વિસ્તારા અને ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ વિસ્તારાની ફ્રેન્કફર્ટ-મુંબઈ ફ્લાઈટ UK 028નું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું
બોમ્બની ધમકી બાદ દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇનના પ્રવક્તાએ આ જાણકારી આપી. તેણે જણાવ્યું કે દિલ્હીથી લંડન જતી વિસ્તારાની ફ્લાઈટને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકી મળી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સને 100થી વધુ ધમકીઓ મળી છે. આ ધમકીઓ વચ્ચે હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતને ધમકી આપી છે અને વિમાનને ઉડાવી દેવાની ધમકી આપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઘણી ફ્લાઈટને બોમ્બની ધમકી મળી રહી છે. આવી ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખીને બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ના પ્રોટોકોલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025