ઉમરગામના સોલસુંબા ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી.
ઉમરગામના સોલસુંબા ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી.
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહ્યા છે. વિવિધ કારણોસર જીવનનો અંત લાવવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવી રહ્યા છે. આ દરમિયાન વલસાડ જિલ્લામાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. વલસાડ જીલ્લાના ઉમરગામના સોલસુંબા ગામમાં પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યાએ ચકચાર મચાવી દીધી છે. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, પરિવારે આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી.
મળતી માહિતી અનુસાર ઉમરગામના સોલસુંબા ગામમાં ભાડાના ફ્લેટમાં રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં પડોશીઓએ પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
જ્યાં પતિ, પત્ની અને બાળકના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0