સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે હવે આ ઘટનાને લઈને આજે વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી..જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે રોષ સાથે રૂબરૂ વીરપુર જલારામ મંદિરે આવી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. જ્ઞાન પ્રકશને આ માટે આગામી 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો તેઓ માફી નહિ માગે તો આગામી રણનીતિ 2 દિવસ બાદ આ મામલે જાહેર કરવામાં આવશે.
વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, આજે અને આવતીકાલે (વીરપુર) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્યક વસ્તુઓ જેવી કે, મેડિકલ અને હોસ્પિટલ ચાલું રાખવામાં આવશે. આ સાથે જ જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માંગે અને જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ કાર્યક્રમમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ ગુણાતિતાનંદ સ્વામી અને જલારામ બાપાને લઇને કેટલાક પ્રસંગો રજૂ કર્યાં હતા. આ પ્રસંગોનું વકતવ્ય આપતા તેમણે એવું જણાવ્યું હતું કે, જલારામ બાપાએ ગુણાતિતાનંદજી સેવા કરી હતી અને તેમને સદાવ્રત અખંડ ચાલે તેવા આશિષ આપ્યાં હતા. આ આશિષના કારણે આજે પણ સદાવ્રત ચાલી રહ્યું છે. આ તમામ પ્રસંગને જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામીએ રજૂ કર્યાં તેને લઇને રધુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં રોષ છે. ભક્તોનું કહેવું છે કે, વિરપુર ગામમાં 205 વર્ષ પહેલાં જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ એક જ માત્રા જલા બાપા ગુરૂ હતા આ ગુરૂના આદેશથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં સદાવ્રત ચાલી રહ્યું છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીના આ નિવેદનને લઈને જલારામ બાપાના ભક્તોમાં રોષ ભભુક્યો છે. આ વીડિયો વાઈરલ થતાં રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, વિવાદ વકરતાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ અન્ય એક વીડિયો શેર કરી માફી માંગી છે. . જો કે હજુ પણ આ ઘટનાને લઇને ભક્તોમાં વિરોધ શમ્યો નથી અને ભક્તો રૂબરૂ વીરપુર આવીને માફી માંગી તેવી માંગણી કરી રહ્યાં છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0