ઈન્ડિયા એલાયન્સ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે. વિપક્ષી ગઠબંધને ધનખર પર પક્ષપાતી કામગીરીનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે લગભગ 60 સાંસદોના હસ્તાક્ષરવાળી નોટિસ રાજ્યસભા અધ્યક્ષ સચિવાલયને આપવામાં આવી છે.