અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો.
અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો.
અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો. ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં બે ગાડીમાં આવેલા લોકોએ એક બીજા પર હુમલો કરીને આતંક મચાવ્યો હતો. આ ઘટનામ એક યુવકની હત્યા કર્યા બાદ લોકો ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર છોડીને નાસી છુટ્યા હતા. મૃતક કોતરપુર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.
આ બે જૂથ વિરૂદ્ધ અગાઉ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0