અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધાર્યા બાદ બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધાર્યા બાદ બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન હાથ ધાર્યા બાદ બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલ આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાના-મોટા કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહે છે. ત્યારે આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા પાંચ જેસીબી મશીન અને આઠથી વધુ હિટાચી મશીન સાથે એક જ દિવસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બે કલાકમાં તમામ 450 જેટલા ઝુંપડાઓ અને નાના-મોટા કાચા-પાકા મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. એક સાથે પાંચથી વધુ હિટાચી મશીન અને જેસીબીની મદદથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં આ દબાણ કરવામાં આવ્યું હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0