ઉત્તર પ્રદેશના કન્નૌજ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોક્ટરોના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ડોક્ટર લખનૌથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ સ્પીડમાં આવતાં સ્કોર્પિયો ડિવાઈડર તોડીને પલટી ખાઈ ગયો હતો
ઉત્તર પ્રદેશના કન્નૌજ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોક્ટરોના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ ડોક્ટર લખનૌથી પરત ફરી રહ્યા હતા, ત્યારે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ સ્પીડમાં આવતાં સ્કોર્પિયો ડિવાઈડર તોડીને પલટી ખાઈ ગયો હતો. ત્યારબાદ પાછળથી તેજ ઝડપે આવી રહેલા ટ્રકે સ્કોર્પિયોને ટક્કર મારી હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયાનક હતો કે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ ડોક્ટર સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાંથી પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા. માહિતી મળતા જ પોલીસ સહિત યુનિવર્સિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 4 વાગ્યે કંટ્રોલ રૂમમાં અકસ્માતની માહિતી મળી હતી.
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ડૉક્ટરોની ઓળખ આગ્રાના 29 વર્ષીય ડૉ. અનિરુદ્ધ વર્મા, ન્યુ કેમ્પસ રિમ્સ સૈફઈના ડૉ. સંતોષ કુમાર મૌર્ય, મુરાદાબાદના ડૉ. જયવીર સિંહ, મોતીપુર કન્નૌજના ડૉ. અરુણ કુમાર અને બરેલીના ડો. નરદેવ તરીકે થઈ છે. બધા લખનૌમાં લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોની કાર એક્સપ્રેસ વે પર વચ્ચેનું ડિવાઈડર ઓળંગીને બીજી તરફ પહોંચી હતી અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે સ્કોર્પિયો અથડાયો હતો.
પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવર સૂઈ જવાને કારણે આ અકસ્માત થયો હતો. સ્કોર્પિયોનો નંબર 80 HB 0703 છે, જ્યારે સ્કોર્પિયોને ટક્કર મારનાર ટ્રકનો નંબર RJ 09 CD 3455 છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી હતી. સીએમ યોગીએ મૃતકોના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું. આ સાથે તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે.
Comments 0