કાસગંજથી જહાંગીરાબાદ મંડી જઈ રહેલા ત્રણ લોકોલોકો ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી ગયા. જોકે એક અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
કાસગંજથી જહાંગીરાબાદ મંડી જઈ રહેલા ત્રણ લોકોલોકો ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી ગયા. જોકે એક અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
ઉત્તર પ્રદેશથી વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ મેક્સ વાહનોમાં અનાજ વેચવા કાસગંજથી જહાંગીરાબાદ મંડી જઈ રહેલા ત્રણ લોકોલોકો ટ્રકની અડફેટે આવી જતાં મૃત્યુ પામી ગયા. જોકે એક અન્યની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.
આ લોકોને અલીગઢ તરફથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. ત્રણેય લોકો હાઇવે પર તેમની ગાડી પંચર થઇ જતાં ટાયર બદલી રહ્યા હતા અને તે સમયે જ ટ્રકે તેમને ફંગોળી નાખ્યા હતા. આ ઘટના દાનપુર ગામ નજીક બની હતી. ઘટના બાદ અકસ્માત સર્જનારો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી હતી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણેય મૃતકોની ઓળખ સતીશ ચંદ્ર, રામસિંહ અને સંજુ તરીકે થઈ છે. આ ત્રણેય લોકો કાસગંજના વતની હતા. આ અકસ્માતમાં વિજય નામના યુવકને ઈજા થઈ હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0