બિહારના બાંકામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે
બિહારના બાંકામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે
બિહારના બાંકામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એસડીએમ અવિનાશ કુમારે જણાવ્યું કે બાંકામાં એક વાહને શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા છે. જેમાં લગભગ 10-11 લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યાં ચાર લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે અને વહીવટીતંત્ર સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.
ટ્રોલી પર સવાર લોકો દાઝી ગયા હતા
ગઈ કાલે પણ બિહારમાં અકસ્માત થયો હતો. મુસાફરી દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી રોડ ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈન સાથે અથડાઈ હતી. વીજ કરંટના કારણે ટ્રોલી પર સવાર લોકો દાઝી ગયા હતા અને અરાજકતા દરમિયાન ઘણા લોકો વીજ કરંટ લાગ્યા હતા. જેના કારણે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0