એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.
એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. અહીં એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી.તેમાં 15-16 મુસાફરો હતા. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે હજી સુધી મોતનો સત્તાવાર આંકડો સામે આવ્યો નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર રુદ્રપ્રયાગ શહેરથી પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઈવે પર રૈતોલી પાસે એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં પડી ગઈ હતી. વાહનમાં 15 થી 16 મુસાફરો હોવાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.
આ દુર્ઘટના રૂદ્રપ્રયાગ શહેરથી લગભગ પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઈવે પર રૈતોલી પાસે થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર બેકાબૂ બનીને અલકનંદા નદીમાં પડી ગયો હતો. અકસ્માત સમયે કારમાં 16 મુસાફરો હોવાની આશંકા છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે અને લગભગ 7 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. માહિતી મળતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0