સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા
સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા
સુરેન્દ્રનગરમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ગઈકાલે જ સુરેન્દ્રનગર માં બુટલેગરોએ PSI પર ગાડી ચડાવી દેતા તેમનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આ બુટલેગરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના જોરાવનગરમાં કેટલાક સામાજિક તત્વોએ પાન પાર્લરના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરનાં જોરાવનગરમાં ગઈકાલે રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પાન પાર્લરનાના માલિક પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતા. ફાયરીંગમાં ઘાયલ પાન પાર્લર માલિકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની ગંભીરતાને જોતા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0