પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે દુર્ઘટના સર્જાઈ હતી. મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું તથા 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.આજે સવારે મંડપ ઊભો કરતી વખતે એકાએક નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અને 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં નાશભાગ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે .
https://x.com/bhupendrajourno/status/1932691037904122179
આ વિસ્તારના લોકો રામદેવપીર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સમયાંતરે ચોપાટી ખાતે મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આવી દુર્ઘટના ભાગ્યે જ બને છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મંગળવારની રાત્રીના જ મોટી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા. આજે બુધવારે સવારના સમયે મંડપ ખડો થવાનુ મર્હુત હતુ મંડપ ખડો થયો તે સમયે તે કોઇ કારણોસર નીચે પડકાયો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0