ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે
ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે.
કુપવાડામાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસને આજે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકોએ કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખાની નજીક ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓની ગતિવિધિઓ જોઈ. આ પછી મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સેનાએ મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. આ આતંકી હુમલા દક્ષિણ કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા દરમિયાન થયા હતા. 9 જૂને જે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટે શપથ લીધા હતા આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ પછી બસ ખાઈમાં પડી જતાં 9 લોકોના મોત થયા હતા.
Comments 0