ગીર સોમનાથ જિલ્લામાં ગત જુલાઇ માસમાં અતિભારે વરસાદના કારણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં
ગીર સોમનાથ જિલ્લામાં ગત જુલાઇ માસમાં અતિભારે વરસાદના કારણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં
ગીર સોમનાથ જિલ્લામાં ગત જુલાઇ માસમાં અતિભારે વરસાદના કારણે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. જેમાં વેરાવળ શહેરના વોર્ડ નં.૫ માં શાહીગરા સોસાયટી, કિરમાણી રોડ પાસેના વિસ્તારમાં બે યુવાનોનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતકોના કાયદેસરના વારસદારોને મૃતક દીઠ રૂ. ૪ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના હુકમથી મૃતક સ્વ.અલ્ફેજ અમિનભાઈ પંજા તથા સ્વ. દાનીશ ગફારભાઈ ખોખર રહે.વેરાવળના વારસદારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મૃતક દીઠ ચાર લાખ એમ મળી કુલ આઠ લાખ રૂપિયાની સહાય ગીર સોમનાથ કલેકટર તથા નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ ચુકવવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0