હાલ ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે.
હાલ ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે.
સાબરકાંઠાથી શરુ થયેલા ચાંદીપુરા વાયરસ હવે સમગ્ર ગુજરાતમાં ફેલાય રહ્યો છે. હાલ ગુજરાતમાં ચાંદીપુર વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાઇરસે પગપેસારો કર્યો છે. રાજકોટના નાનામૌવા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીનું ચાંદીપુર વાયરસથી મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર બાળકીને ચાંદીપુરા વાયરસનાં લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, રિપોર્ટ આવે તે પૂર્વે મોટા મૌવા વિસ્તારમાં રહેતી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 દર્દી દાખલ છે જેમાં 2ના ચાંદીપુર વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 2 પોઝિટિવ કેસ અને 4 શંકાસ્પદ કેસ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે સૌથી વધારે કેસો સાબરકાંઠામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં ચાંદીપુર વાયરસના 100 થી પણ વધારે કેસો નોંધાઈ છે. સૌથી વધુ કેસ સાબરકાંઠામાંનોંધાયા છે. અત્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાઇરસ સામે લડવા માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.
જયારે રાજ્યમાં ચાંદીપુર વાયસરના વધતા જતા કેસોને લઇ કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાંતોની ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી છે. આ આગાઉ રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસ માટે એક હેલ્પલાઇન પણ જાહેર કરવામાં આવ્યો હતો. હાલ ચાંદીપુર વાયસરને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ય્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0