અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સીંગ ધરાવતી કારે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જીદે આવીને અથડાઈ હતી
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સીંગ ધરાવતી કારે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જીદે આવીને અથડાઈ હતી
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે.આજે સવારે રાજકોટના ઇન્દિઅર સર્કલ પાસે સીટી બસએ 7થી 8 વાહનોને અડફેટે લેતા ૩ લોકોના મોત નીપજ્ય હતા,. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના જુહાપુરા વિસ્તરમાં એક કર ચાલકે સાત થી આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ટેક્સી પાર્સીંગ ધરાવતી કારે સાત થી આઠ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જીદે આવીને અથડાઈ હતી. અકસ્માત બાદ લોકોએ ડ્રાઇવર ને માર માર્યો હતો. આ દરમ્યાન તેનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કર ચાનક નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0