જામકંડોરણાના સનાળા ગામે ખેત મજુરી કરવા આવેલા પરિવારમાંથી માતા બે સંતાનોએ ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપધાત કર્યો હતો
જામકંડોરણાના સનાળા ગામે ખેત મજુરી કરવા આવેલા પરિવારમાંથી માતા બે સંતાનોએ ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપધાત કર્યો હતો
રાજકોટના જામકંડોરણાના સનાળા ગામમાં એક શ્રમિક પરિવારના ત્રણ સભ્યોએ સામુહિક આપધાત કરવાની ઘટના સામે આવી છે. દાહોદથી ખેત મજુરી માટે આવેલા આ પરિવારમાં માતા અને બે પુત્રોએ ઝેરી દવા પીને આપધાત કર્યો છે.
મળતી માહિતી મુજબ દાહોદથી જામકંડોરણાના સનાળા ગામે ખેત મજુરી કરવા આવેલા પરિવારમાંથી માતા બે સંતાનોએ ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપધાત કર્યો હતો. જેમાં ત્રણેયના મોત નીપજયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ હાથધરી છે. હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.પતિ પત્ની વચ્ચે કામ કરવાની બાબતે માથાકૂટ થઇ હતી તેવુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે પતિની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0