પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીએ પલટી મારતા 13 વ્યક્તિના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ 2જી જૂનની રાત્રે રાજસ્થાનથી લગ્નની જાન રાજગઢ જિલ્લાના કુલમપુરા ગામમાં આવી રહી હતી. આ દરમિયાન જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પીપલોડી પાસે પલટી મારી ગઈ હતી. જેને લઈ અનેક લોકો નીચે દટાઇ જતાં 13 લોકોના મોત થયા હતા. આ તરફ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ઘટનાની જન થતા પોલીસ ઘટનાસ્થળે પહોચ્યા હતા
રાજસ્થાનના છિપાબાદોડ પોલીસ સ્ટેશનના મોતીપુરા ગામથી એક જાન રાજગઢ જિલ્લાના દેહરીનાથ ગ્રામ પંચાયતના ગામ કુલમપુરા તરફ આવી રહી હતી. લગ્નમાં દરમિયાન મધ્યપ્રદેશના રાજગઢમાં પ્રવેશતા જ તેનું ટ્રેક્ટર કાબૂ બહાર ગયું હતુંઅને ટ્રોલી પલટી ગઈ.
આ દરમિયાન કેટલાક લોકોએ પીપલોડી ચોકીને પણ અકસ્માતની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આરોગ્ય વિભાગે 5 થી વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી. ઘાયલો અને મૃતકોને આ અલગ-અલગ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતની માહિતી મળતા જ કલેક્ટર હર્ષ દીક્ષિત સાથે એસપી આદિત્ય મિશ્રા, એસડીએમ ગુલાબ સિંહ બઘેલ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Comments 0