જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈ કાલે રાત્રે સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા,
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈ કાલે રાત્રે સેનાનું એક વાહન ઊંડી ખીણમાં ખાબકયું હતું. આ અકસ્માતમાં 4 જવાનો ઘાયલ થયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો સાથે બચાવકર્મીઓએ તમામ 4 ઘાયલ કમાન્ડોને બહાર કાઢ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા, જેમાં લાન્સ નાઈક બલજીત સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મંગળવારે સૈન્યનુંવાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી જતાં ચાર કમાન્ડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સરહદી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં મોડી રાતે આ અકસ્માત થયો હતો, જેના કારણે વાહનને વ્યાપક નુકસાન થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્થાનિક ગ્રામજનો સહિત બચાવકર્મીઓએ ઘાયલ 4 કમાન્ડોને બહાર કાઢ્યા અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. જેમાંથી બેની હાલત નાજુક હોવાનું જણાવાયું હતું. હવે લાન્સ નાઈક બલજીત સિંહનું અવસાન થયું છે.
Comments 0