કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.
કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.
કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.
કેશોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ અને તમામ સ્કવોડ તપાસમાં જોડાઈ હતી. જેમાં ઘટનાસ્થળેથી પુરાવાઓ એકઠા કરી લિસ્ટેડ તસ્કરોની હિલચાલની માહિતી મેળવી જુનાગઢ જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાલીતાણાના રણજીત ઉર્ફે રણીયો સવજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૭) ને ઝડપી પાડી આકરી પુછપરછ કરતા બંધ ઘરમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું અને મદદગારીમાં પાલીતાણાનો રણજીત ઉર્ફે બોડીયો રામજીભાઈ પરમાર અને ભાવનગર જિલ્લાના નવાણિયા ગામનો ભરત ઉર્ફે પથુળો મનુભાઈ વાઘેલાના નામ ખુલ્યા છે.
કોર્ટમાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાવી ચોરીનો મુદામાલ કબજે કરવા અને અન્ય તસ્કરોને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોરીની સંખ્યાબંધ ઘટનાઓ બની છે અને તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. જો કે, ચોરીનો ભેદ તો ઉકેલાઈ જાય છે પરંતુ મુખ્ય સુત્રધાર હાથમાં ન આવતાં મુદામાલ કબજે થઈ શકયો નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0